ગાંધીનગરમાં વૃદ્ધની જમીન પચાવી પાડવા ચાર શખ્સોએ જમીનનો ખોટો દસ્તાવેજ બનાવી છેતરપિંડી આચરતા ગુનો દાખલ
ગાંધીનગર: અમદાવાદમાં રહેતા અને શિક્ષક તરીકે નિવૃત્ત થયેલાં ધમાસણા ના વૃદ્ધ ની જમીન ગામમાં આવેલી છે ત્યારે આ જમીન માટે ટાઇટલની ની સહી લઇ તેના આધારે ચાર જણાએ ભેગા મળી જમીનનો ખોટો બાનાખત કરી લેતા તેઓએ પોતાની સાથે છેતરપિંડી કરનાર ચાર શખ્સો સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર અમદાવાદમાં રહેતા રાવજીભાઈ ચીમનભાઈ પટેલ ની જમીન તેમના વતન ધમાસણા ગામ માં આવેલી છે અને આ જમીન તેમણે વેચવી હોવાથી તેઓ જમીન વેચવા અંગે તુષારભાઈ ઉપેન્દ્ર કુમાર રાવલ અને આશિષભાઈ નામના શખ્સો સાથે વાતચીત કરતા હતા ત્યારે આ બંને જણાએ જમીન વેચાણ રાખવાનું નક્કી કર્યું હતું અને આ જમીનના ટાઇટલ ક્લિયર સટફિકેટ માટે તેમણે જમીનના માલિક રાવજીભાઈ જોડે કોરા કાગળ પર સહી લીધી હતી ત્યારબાદ આ શખ્સોએ આ સહીના આધારે જમીન નો ખોટો બાનાખત તૈયાર કર્યો હતો આ સહીના આધારે તેઓએ કડી માં રહેતા બીજલ ભાઈ કાનજીભાઈ રબારી ના નામે જમીનનો બાનાખત તૈયાર કરાવી લીધો હતો જેની જાણ જમીનના માલિક ને થતા તેઓએ પોતાની સાથે છેતરપિંડી આચરનાર તુષારભાઈ રાવલ તથા આશિષભાઈ અને બીજલ ભાઈ કાનજીભાઈ રબારી અને ચિરાગ હરિલાલ સંપત રાય જયસ્વાલ સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેના પગલે પોલીસે તપાસ ચલાવી છે.