માંડલ તાલુકાના વિઠલાપુર ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો
(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :માંડલ તાલુકાના વિઠલાપુર ગામ માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ મહેશભાઈ પટેલ, સંગઠન પ્રમુખ દશરથભાઈ પટેલ, મહામંત્રી પ્રવિણસિંહ, જીલ્લા સદસ્ય ભીખાભાઈ વાઘેલા, બાબુભાઈ પટેલ, તાલુકા સદસ્ય ભરતસંગ ઠાકોર, પ્રદીપસિંહ, ગામના સરપંચ પોલીસ સ્ટાફ , ભાજપ સંગઠન કાર્યકર્તા, મામલતદાર સ્ટાફ સહિત આગેવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ન યોજના વિનામૂલ્યે અનાજ આખા ગુજરાતમાં ગરીબ પરિવાર ને લાભ મળે છે જેમાં 3.5 કિલો ધંઉ ,1.5 કિલો ચોખા અને 5 કિલો અનાજ આપવામાં આવશે દરેક ગરીબ પરિવાર બીપીએલ કાર્ડ ધરાવતા પરીવાર ને લાભ મળશે.( તસવીર- જગદીશ રાવળ (ટ્રેન્ટ)