News of Thursday, 3rd September 2020
૯મી થી બે દિવસ માટે ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ ફરી સૌરાષ્ટ્રના પ્રવાસે આવશે : પક્ષના કાર્યકરો - નેતાઓને મળશે
રાજકોટ : ૯ અને ૧૦ સપ્ટેમ્બરે ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ ભાવનગર, બોટાદ અને અમરેલીની મુલાકાત લેશે અને પક્ષના કાર્યકરો અને નેતાઓને મળશે.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની બે પ્રવાસ પછી પ્રમુખ બન્યા બાદ શ્રી પાટીલનો આ પાંચમો પ્રવાસ છે. તેઓ સમગ્ર ગુજરાતના તમામ જિલ્લામાં પક્ષના કાર્યકરો અને નેતાઓને મળવાના છે.
(7:44 pm IST)