સુરતના મહિધરપુરા વિસ્તારમાં બીમારીથી કંટાળી આધેડે ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
સુરત:શહેરમાં બીમારીથી કંટાળી જઈને મહિધરપુરાના આઘેડ અને ઉત્રાણના યુવાને જ્યારે અમરોલીની કિન્નરે આત્મહત્યા કરી હતી.મહિધરપુરામાં હાથીયાવાળી શેરીમાં શ્રી સાઈ રામ એપાર્ટમેન્ટમાં રહેતા ૪૬ વર્ષના ચિંતનકુમાર જશવંતભાઈ ઘડિયાલીએ શનિવારે બપોરે ઘરમાં રસોડામાં લોખંડના હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાદો હતો. પોલીસે કહ્યું હતું કે, ચિંતનકુમારને છેલ્લા બે વર્ષથી પથરીના દુઃખાવો થતો હોવાથી દવા ચાલતી હતી પણ તકલીફમાં ઘટાડો થયો નહી અને તેને કોઈ કામ ધંધો નહીં મળતો હોવાથી ટેન્શનમાં આવી આ પગલું ભર્યું હતુ.બીજા બનાવમાં ઉત્રાણ ખાતે પાણીની ટાંકી પાસે હળપતિ વાસમાં રહેતા ૩૫ વર્ષના શૈલેષ ઉર્ફે સલુ નટુભાઈ રાઠોડે શનિવારે સવારે ઘર પાસે પાણીની ટાંકીની લોખંડની સીડી સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધો હતો. પોલીસે જણાવ્યું કે, શૈલેષને ડાબા પગમાં ઈજા થઈ હોવાથી તકલીફ હોવાથી યોગ્ય કામ કરી શકતો ન હતો. જેને લીધે તે તાણ અનુભવતો હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. તે છૂટક મજૂરી કામ કરતો હતો.ત્રીજા બનાવમાં અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રહેતી ૨૩ વર્ષીય કિન્નર સિલુ ગોંડ શનિવારે બપોરે ઘરમાં કોઇ કારણસર લોખંડના હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. સિલુ મૂળ ઓરિસ્સાની વતની હતી.