ગુજરાત
News of Tuesday, 3rd November 2020

ધારસીભાઇ ખાનપુરાના અવસાનથી શોકમગ્ન છુઃ કાંકરેજના પૂર્વ ધારાસભ્યને શ્રદ્ધાંજલી અર્પણ પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

ગાંધીનગરઃ મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ કાંકરેજ ના પૂર્વ  ધારાસભ્ય સ્વ.ધારસી ભાઈ ખાનપુરા ના દુઃખદ અવસાન અંગે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે

મુખ્ય મંત્રીશ્રી એ સદગત ને અંજલિ આપતા જણાવ્યું છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના પૂર્વ ધારાસભ્ય શ્રી ધારસીભાઈ ખાનપુરાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના પણ મુખ્ય મંત્રીશ્રી એ કરી છે

(5:38 pm IST)