ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સુરત: અઠવાલાઇન્સ ખાતેથી મળી આવેલ ઈજાગ્રસ્ત વૃદ્ધનુ સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

સુરતતા: શહેરની નવી સિવિલથી મળેલી વિગત મુજબ અઠવાલાઇન્સ ખાતે પોલીસ હેડ ક્વાર્ટસ નજીક ઇચ્છાનાથ મહાદેવ મંદિર પાસે રવિવારે સવારે 60 વર્ષીય એક અજાણ્યો વૃધ્ધ માંથામાં ઇજા પામેલી હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા જયાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યાે હતો. સિવિલના ડોકટરે કહ્યુ કે કોઇ વાહને તેમને અડફેટમાં લેતા ઇજા થઇ હોવાની શકયતા છે. અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:51 pm IST)