ગુજરાત
News of Tuesday, 3rd November 2020

વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ગ્રામ્ય જિલ્લાનો દુર્ગાવાહિની આયામનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો

ધર્મજીવન વિદ્યાનિકેતન વિરમગામ ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ગ્રામ્ય જિલ્લાના દુર્ગાવાહિની આયામનો એક દિવસીય પ્રશિક્ષણ વર્ગ વિરમગામ ખાતે રાખવામાં આવ્યો હતો. આ વર્ગમાં કર્ણાવતી ગ્રામ્ય જિલ્લાની દુર્ગાવાહિનીની જિલ્લા ટોળી, પ્રખંડ ટોળી તથા અન્ય ૧૫ વર્ષથી ૩૫ વર્ષની ઉંમર સુધીની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.  ધર્મ જીવન વિદ્યાનિકેતન વિરમગામ ખાતે આયોજિત વર્ગમાં ૧૫ વર્ષથી ૩૫ વર્ષની ઉંમર સુધીની બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ વર્ગને સફળ બનાવવા માટે હિતેન્દ્રસિંહ, હિરલબેન પટેલ દુર્ગાવાહિની જિલ્લા સંયોજિકા, ધર્મેશભાઈ ગજ્જર જિલ્લા મંત્રી, વિ.હિ.પ, મનહર સિંહ જાડેજા જિલ્લા અધ્યક્ષ, વિ.હી.પ સહીતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

(7:23 pm IST)