ગુજરાત
News of Tuesday, 3rd November 2020

સંઘ વડા મોહન ભાગવતજી અને મુખ્યમંત્રી રૂપાણી વચ્ચે હેગડેવાર ભવનમાં મુલાકાત

આઠ બેઠકોની પેટાચૂંટણી પૂરી થયા બાદ મુલાકાત થઈ

આરએસએસના વડા મોહન ભાગવત અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી વચ્ચે આઠ બેઠકોની પેટાચૂંટણી પૂરી થયા પછી મુલાકાત થઈ હતી. મણિનગરના હેડગેવાર ભવનમાં આ મુલાકાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આરએસએસના સરસંઘસંચાલક મોહન ભાગવત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમની સાથે બેઠક કર્યા પછી પત્રકારોને સંબોધતા મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી નિરાશ છે અને આઠેય બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે. રૂપાણીની મોહન ભાગવત સાથેની મુલાકાતે અનેક પ્રકારના તર્કવિતર્કો સર્જ્યા છે. જો કે રૂપાણી પોતે પણ આરએસએસના કાર્યકર રહી ચૂક્યા છે.

(8:27 pm IST)