નર્મદા જિલ્લામાં મંગળવારે નવા ૬ કોરોના કેસ સાથે કોરોના પોઝિટિવનો આંક ૧૩૦૦ પર પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અચાનક ઘટતું જોવા મળી રહ્યું છે.મંગળવારે ૬ કોરોના પોઝિટિવ કેસો જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર.એસ.કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં મંગળવારે ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં રાજપીપળા દોલત બજારમાં-૦૧,નાંદોદ તાલુકા માં જીતનગર પોલીસ લાઈનમાં-૩,વડિયા-૧, રાજુવાડિયા ગામમાં-૧ મળી નર્મદા જિલ્લામાં કુલ- ૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દીની કુલ સંખ્યા-૩ છે, જ્યારે ૧ દર્દીઓ સારવાર હેઠળ છે, કોવિડ કેર સેન્ટરમાં ૨૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૪૮ દર્દી દાખલ છે.આજરોજ ૫ દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૧૨૨૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૧૩૦૦એ પહોચ્યો છે. આજે વધુ ૩૨૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે.