રાજપીપળામાં ગેસનો ચૂલો સળગાવવા જનાર મહિલા ગંભીર રીતે દાજી જતા સારવાર હેઠળ
પોતાના ઘરમાં ગેસનો ચૂલો સળગાવ્યા બાદ દીવાસળી અડધી સળગી ગયેલી તેમની સાડી પર પડતા આ દુર્ઘટના બનતા સારવાર માટે વડોદરા ખસેડાયા
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા માર્કેટિંગ યાર્ડ નજીકમાં રહેતા મહિલાથી અર્ધ બળેલી દીવાસળી સાડી પર પડતા ગંભીર રીતે દાઝી જતા વડોદરા રીફર કરવામાં આવ્યા હતા
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ તા.31 ઓક્ટોમ્બરે સવારે નવ વાગે કૈલાસબેન પ્રવીણભાઈ રાણા ઉ.વ.55,રહે.શિવનગર સોસાયટી,માર્કેટિંગ યાર્ડ પાસે,રાજપીપળા નોએ પોતાના ઘરમાં ગેસનો ચૂલો દીવાસળી વડે સળગાવવા જતા હતા અને તેમણે ચૂલો સળગાવી અડધી બળેલી દીવાસળી ફેંકી હોય જે તેમની સાડી પર પડતા તેઓ આખા શરીરે દાઝી જતા તેમના પુત્ર તેજપાલસિંહ રાણા તેમને સારવાર અર્થે લઈ ગયેલા પરંતુ તેઓ ગંભીર દાઝી ગયેલા હોવાથી વધુ સારવાર અર્થે તેમને વડોદરા રીફર કરાયા હોવાનું જાણવા મળ્યું છે.હાલ રાજપીપળા પોલીસે જાણવાજોગ દાખલ કરી તપાસ હાથ ધરી છે