રાજપીપળા કોર્ટમાંથી નાશી ગયેલા બળાત્કારના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેતી LCB,નર્મદા
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિમકર સિંહ,પોલીસ અધિક્ષક , નર્મદા નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા કામગીરી કરવા તેમજ જીલ્લામાં ફરાર થેયલ આરોપીઓને ઝડપી પાડવાની સુચનાના આધારે ગુરુવાર તારીખ 2.12.21 ના રોજ રાજપીપળા કોર્ટમાં તિલકવાડા પોલીસ સ્ટેશનના બળાત્કારના ગુનાના આરોપી આતિશભાઇ શાંતીલાલ તડવી રહે, કોયારી તા.તિલકવાડા જી.નર્મદા વિરૂધ્ધ કોર્ટ કાર્યવાહી ચાલુ હતી દરમ્યાન નામદાર કોર્ટ દ્વારા તેને પુરાવા આધારે દસ વર્ષની સજા તથા રૂ .૫૦૦૦ દંડની સજા ફટકારતા આ આરોપી કોર્ટમાંથી ટોયલેટ જવાનું જણાવી કોર્ટના ત્રીજા માળના ટોયલેટની ગ્રીલ કાઢી પાછળના રસ્તે કોર્ટમાંથી ફરાર થઇ ગયો હતો.
આ બાબતની જાણ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ને થતાં એલ.સી.બી. સ્ટાફના તમામ માણસોની અલગ - અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ કરવાની તજવીજ હાથ ધરતા આ આરોપી ગુવાર ગામે હોવાની બાતમી મળતા પો.ઇન્સ. એલ.સી. બી. તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા આતિશભાઇ શાંતીલાલ તડવીને ગુવાર ગામેથી ઝડપી પાડી ગુનાના કામે નામદાર કોર્ટમાં રજુ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.