ગુજરાત
News of Friday, 3rd December 2021

સાગબારા તાલુકાના ઘનસેરા ગામના યુવાનની પત્નીએ બીજા લગ્ન કરી લેતા પતિએ પોલીસ ફરીયાદ કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનસેરા ગામના પરણિત યુવાનની પત્નીએ અન્ય પુરુષ સાથે લગ્ન કરી લેતા પતિએ પોલીસ મથકે ફરીયાદ આપી છે.

મળતી માહિતી મુજબ ઘનસેરામાં રહેતા નિરંજન ગંભીર વસાવાના લગ્ન 15 એપ્રિલ 2018ના રોજ જાતિ રિવાજ મુજબ સિમઆમલી ગામના નિષાબેન ગંગારામ વસાવા સાથે થયા હતા પત્ની નિષાબેન આશાવર્કર તરીકે ઘનસેરા આંગણવાડી માં ફરજ બજાવતી હતી, લગ્ન બાદ ત્રણ વર્ષ સારી રીતે લગ્ન સંસાર ચાલ્યા બાદ 5 જાન્યુઆરી 2021ના રોજ પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને અને ઝઘડો થતા 6 જાન્યુઆરી 2021ના રોજ તેમની પત્ની તેમના પિતા સાથે પિયરે જતા રહ્યા હતા ત્યારબાદ અવાર નવાર સમાધાન માટે જાણ કરવા છતાં તેમની પત્ની અને પિતા તરફથી કોઈ પણ જવાબ નહિ મળતા 19-4- 2021ના રોજ ઘનશેરા થી સીમઆમલી ગામે ચાર પંચોને મોકલતા તેમની પત્ની ત્યાં હાજર મળી નહિ આવતા, તેના પિતાને પૂછતા યોગ્ય જવાબ મળ્યો ન હતો ત્યારબાદ 23-5-2021 ના રોજ નિરંજનભાઈએ સોસીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં તેમની પત્નીના અન્ય વ્યક્તિ  સાથે ફોટા જોઈ તે વ્યક્તિને તેની પત્ની વિશે પૂછતાં આ વ્યક્તિએ જણાવ્યું હતું કે લગ્ન થયેલા બૈરાં ને નહિ રાખવાનો મારા બાપનો કાયદો છે.? તું મારું શું ઉખાડી લેશે.? મેં તારી પત્ની ને મારી પત્ની તરીકે રાખી છે, નિશા મારી સાથે જ છે તેવું કહેતા તે વ્યક્તિનું નામ ઠામ પૂછતાં તેણે તેનું નામ હાર્દિક વિઠ્ઠલ પરમાર (રહે. રસુલપુરા તા.સિદ્ધપુર જી.પાટણ )ગામનો હોવાનું જણાવ્યું હતું,
પતિબનિરંજન સાથે લગ્ન કર્યા બાદ છુટાછેડા લીધા વિના અન્ય વ્યક્તિ સાથે તેમની જાણ બહાર લગ્ન કરતા તેમણે સાગબારા પોલીસ મથકે પુરાવા આપી ફરિયાદ આપતા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:30 pm IST)