અંકલેશ્વરમાં અસામાજિક તત્વો બેફામ :મહિલાએ છેડતીની ફરિયાદ કરી તો 181 હેલ્પલાઇનના વાહન પર કર્યો હુમલો
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની ચંડાલ ચોકડીનો બનાવ : અસામાજિક તત્વોએ 181 હેલ્પલાઇન વાહનને બનાવ્યું નિશાન
ભરૂચ: અંકલેશ્વરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આ શખ્સો દ્વારા 181 હેલ્પલાઈનને નિશાન બનાવવામાં આવી હતી. જે મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.
અંકલેશ્વરના ગડખોલ પાટિયા વિસ્તારની ચંડાલ ચોકડી ખાતે મહિલાની છેડતી ફરિયાદ મળતા જ 181 હેલ્પલાઇનની ટીમ પહોંચી હતી. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ 181 હેલ્પલાઇનના વાહનને નિશાન બનાવ્યું હતું. અને ગાડીના કાચ તોડી નાખ્યા હતા, જો કે આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આવા અસામાજિક તત્વો સામે તોડફોડ તેમજ છેડતીની ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. તો વાહનની તોડફોડ કરનાર શખ્સને પોલીસને હવાલે કરી દેવાયો છે.