૨૪ થી ૨૬ ફેબ્રુઆરી અમદાવાદ ખાતે ત્રિદિવસીય પ્રજાપતિ બિઝનેસ એકસ્પો
(કેતન ખત્રી), અમદાવાદઃ અમદાવાદના વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન પ્રજાપતિ બિઝનેસ એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે અને સાધુ સંતોના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ એક્સ્પોમાં ૨૦૦ થી વધારે જુદા જુદા ઉદ્યોગ વ્યવસાયના સ્ટોલ ઉપરાંત જોબ ફેર, બી ટુ બી સેમિનાર, આર્ટ ગેલેરી, કલ્ચરલ ફેસ્ટિવલ તેમજ સેલીબ્રીટી પરફોર્મન્સ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો ના આયોજક શ્રી યશ પ્રજાપતિ અને હિતેશ પ્રજાપતિ તથા ગુજરાત અને સૌરાષ્ટ્ર ની આયોજન ટીમ એ જણાવ્યું હતું કે આ એક્સ્પો માટે અમે ખુબજ માઇક્રો પ્લાનિંગ કર્યું છે અને અમને આશા છે કે આ ત્રિદિવસીય એક્સ્પોમાં લગભગ ૧ લાખ મુલાકાતીઓ ભાગ લેશે.