ગુજરાત
News of Friday, 4th September 2020

કેવડિયામાં કોરોનાનો કહેર : એક સાથે ૧૨ કેસ : નર્મદા જિલ્લામાં ૨૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જિલ્લામાં શુક્રવારે નવા ૨૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૨૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરા પો.લાઈન ૦૧, રાજેન્દ્રનગર સોસા. ૦૧, પાઈગા પો. લાઈન ૦૧ ,નાંદોદના કરાઠા ૦૧ ગરુડેશ્વર ના કેવડિયા કોલોની ૧૨, ડેડીયાપાડા માં કુમબાર ૦૧, નાના સૂકા અંબા ૦૧, ડેડીયાપાડા પો.લાઈન ૦૧ અને તિલકવાળા ઉચાદ ૦૧, સાથે નર્મદા જિલ્લામાં કુલ ૨૦ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૨૧ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દીઓ દાખલ છે. આજે સજા થયેલ ૦૭ દર્દીઓ ને રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૬૩૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૧૦ પર પહોચ્યો છે.આજે વધુ ૪૨૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(8:18 pm IST)