ગુજરાત
News of Friday, 4th December 2020

રાજપીપળા પો.સ્ટે.માં ફરજ બજાવતા ASI હસમુખ ભાઈ વસાવાનું ટૂંકી માંદગી બાદ મોત

હાલમાં રાજપીપળા પો.સ્ટે.માં PSO માં ફરજ બજાવતા હતા,ચાલુ ફરજે તબિયત લથડતા સારવાર દરમિયાન મોત થયુ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ. એસ .આઈ .હસમુખભાઈ શંકરભાઇ વસાવા(ઉ,વ,55)નું ટૂંકી માંદગી હોસ્પિટલમાં મોત થતા ટાઉન પો.સ્ટે.સ્ટાફ માં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

 જાણવા મળ્યા મુજબ હસમુખભાઈ તેમની રાજપીપળા પો.સ્ટે.ની પી.એસ.ઓ.ની ફરજ પર હતા એ દરમિયાન અચાનક તેમની તબિયત લથડી હતી તેમને રાજપીપળા સિવિલ બાદ એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા પરીવાર પર આફત આવી પડી છે.

(10:33 pm IST)