નર્મદા જિલ્લામાં ગુરુવારે 12 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક 1574 એ પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો. આર. એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા ટેકરા પોલીસ લાઈન-1 રાજેન્દ્રનગર-2,દરબાર રોડ-1,નવા ફળીયા-1, કરજણ રેસ્ટ હાઉસ-1,નાંદોદ તાલુકાના કુંવરપુરા-4, ગરુડેશ્વરના કેવડીયામાં-2 મળી નર્મદા જિલ્લામાં 12 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં 08 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 23 દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશન માં 48 દર્દી દાખલ છે.આજરોજ 15 દર્દી સજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1484 દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક 1574 એ પહોચ્યો છે. આજે વધુ 451 સેમ્પલ ચકાસણી હેઠળ છે.