વડોદરાના સોમાતળાવ-તરસાલી વિસ્તારની સોસાયટીમાં રહેતી મહિલાનું ગર્ભાશયની બીમારી દરમ્યાન મોત નિપજતા ચકચાર
વડોદરા:ગર્ભાશયની બીમારીની સારવાર દરમિયાન બેભાન થઇ ગયેલી મહિલાનું મોત નિપજ્યુ છે.મહિલાના મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ.કરાવ્યુ છે.પી.એમ.રિપોર્ટ આવ્યા પછી જ મહિલાના મોતનું કારણ જાણી શકાશે.
સોમાતળાવ-તરસાલી વિસ્તારની કપિલેશ્વર સોસાયટીમાં રહેતા ભાગ્યશ્રીબેન મનોજભાઇ પવાર (ઉ.વ.૩૧) ઘરકામ કરે છે.ડો.દિલીતા ભગાડેની વિનાયક મેટરનિટી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલતી હતી.ગત તા.૨જી ફેબુ્રઆરીના રોજ તેઓને ગર્ભાશયના ટાંકા લેવા માટે તેઓ વિનાયક હોસ્પિટલમાં દાખલ થયા હતા.સારવાર દરમિયાન દર્દીને ઇન્જેક્શન આપવામાં આવતા દર્દી બેભાન થઇ ગયા હતા.રાત સાડા અગિયાર વાગ્યે દર્દીને વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ,સારવાર દરમિયાન ગઇકાલે સવારે તેમનુ મોતથયુ હતુ.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મકરપુરા પોલીસે સ્થળ પર જઇને વધુ તપાસ હાથ ધરી છે.દર્દીનું મોત કયા કારણસર થયુ તે જાણવા માટે પોલીસે પી.એમ.કરાવ્યુ છે.