ગુજરાત
News of Wednesday, 5th May 2021

રાજપીપળા અવધૂત મંદિર પાસેથી ગાડીમાં સાતથી વધુ માણસો બેસાડનાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.આર.પટેલ ટિમ સાથે વાહન ચેકિંગમાં હતા તે સમયે રંગ અવધૂત મંદિર પાસેથી પસાર થતી ઇકો ગાડીમાં વધુ માણસો બેસાડી જનાર ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે.
જેમાં પ્રાપ્ત માહિતી મુજબ આંનદભાઈ રમણભાઈ વસાવા (રહે.આમલેથા તા.નાંદોદ )નાઓએ ઈકો ગાડી વાહનમાં સાતથી વધારે માણસો બેસાડી જાહેરનામાનો ભંગ કરતા ગુનો દાખલ કર્યો છે

(12:09 pm IST)