સાણંદ તાલુકાના નવાપુરા ગામે ધાર્મિક કાર્ય અંતર્ગત નીકળેલ યાત્રામાં કોવીડ ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરનાર વિરુદ્ધ ગુનો દાખલ
સાણંદ:તાલુકાના નવાપુરા ગામે બળિયાદેવ મંદિરે ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત નિકળેલી યાત્રામાં સરકારની ગોવિડ ગાઈડ લાઇનનો સરેઆમ ભંગ થતા કાર્યક્રમના આયોજક સહિત પાંચ શખ્સો સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નવાપુરા ગામે બળિયાદેવના મંદિરમાં ધાર્મિક પ્રસંગે લોકોની ભીડ ભેગી કરી સોસીયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવવામાં આવેલ. સરકારની બહાર પાડેલ ગાઈડ લાઇનનો કોઈ અમલ જોવા મળ્યો ન હતો. ગાઈડ લાઇનમાં પચાસ માણસોની છે પણ અહીંયા તો વધારે સંખ્યામાં લોકોને ભેગા કરી સોસીયલ ડિસ્ટન્સનો અભાવ, માસ્ક ન પહેરવું, ભીડ ભેગી કરવી વગેરે ગાઇડ લાઇનના ભંગ કરવા બાબતે નવાપુરા ગામના ધાર્મિક પ્રસંગના આયોજકો (૧) કૌશિલભાઈ ભીખાભાઈ પટેલ (૨) ધર્મેન્દ્રભાઈ ગોવિંદભાઈ વાઘેલા (૩) દશરથભાઈ રાજુભાઈ ઠાકોર (૪) કિશનભાઈ ખોડાભાઈ ઠાકોર અને ડી.જે. વાળા મહેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોરને પીક બોલેરો સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.