શિક્ષક દિને રાજયના ૪૪ શિક્ષકોનું ગુજરાત સરકાર દ્વારા વિશેષ બહુમાન
અમદાવાદ, તા. ૫ : આજે ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા શિક્ષક દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાતના વિવિધ શાળાઓમા વિશેષ કામગીરી બદલ ૪૪ શિક્ષકોને રાજયકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
પ્રાથમિક શાળા શ્રેણીમાં અમરેલી જિલ્લા શ્રી બાઢડાપરા પ્રાથમિક સ્કુલના શિક્ષક ચંદ્રેશ બી. બોરીસાગર, ગીર સોમનાથ જીલ્લાના ભાવનાબેન સોલંકી, રાજકોટ જિલ્લાની વડાલી પ્રાથમિક શાળાના પ્રકાશ નિરંજની, મોરબી જીલ્લાના શ્રી નવા ઘનશ્યામનગઢ કન્યા શાળાના શિક્ષક પ્રવિણભાઈ પટેલ, વઢવાણના રમેશચંદ્ર મુલીયા સહિતનાનો સમાવેશ થાય છે.
જયારે માધ્યમિક શાળાના શ્રેણીમાં રાજકોટના સેન્ટમેરી સ્કુલના ઉમેશભાઈ વાળાનો સમાવેશ થાય છે. આજે ૪૪ શિક્ષકોની તેમની કામગીરી બદલ સન્માનિત કરવામાં આવશે.