અમદાવાદના કલેકટર કે,કે નિરાલા બદલાયા : નવા કલેક્ટરપદે સંદીપ સાંગલે: ડેપ્યુટેશન પર ગયેલા આલોક પાંડે ગુજરાત પરત ફર્યા
રાજકોટ આઈએએસ કક્ષાએ મ્યુનિસિપલ કમિશનર લેવલના અધિકારીઓની બદલી કરતા હુકમો જાહેર થયા છે,આ બદલીમાં અમદાવાદના કલેકટર કે,કે,નીરાલાને ગૃહ મંત્રાલયમાં ( લો એન્ડ ઓર્ડર ) નો હવાલો સોંપાયો છે,કે, કે નીરાલાની બદલીથી ખાલી પડેલ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ બનાસકાંઠાના કાર્યદક્ષ અને કોરોના કાળમાં પ્રશંશનીય સેવા બજાવનાર સંદીપ સાંગલેને મુકવામાં આવ્યા છે,જયારે બનાસકાંઠાના કલેકટર તરીકે પાટણના આનંદ પટેલને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે પાટણ કલેકટર પદે રાજ્યના ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ સુપ્રીતસિંઘ ની ઓપસદંગી કરવામાં આવી છે
મહેસાણાના પૂર્વ કલેકટર આલોક પાંડે કે જેઓ યોગી સરકારની વરણી બાદ ડેપ્યુટેશન પર ઉત્તર પ્રદેશ ગયેલા તેવા આલોક પાંડે ગુજરાત પરત ફરતા તેઓને સુપ્રિસિંઘની ખાલી પડેલ જગ્યા ડાયરેક્ટર ઓફ એમ્પ્લોયમેન્ટ તરીકે મુકવામાં આવ્યા છે,