ગાંધીનગર:અમદાવાદ સનાથલ નજીક બાઈક પર નીકળેલ યુવાનનું અજાણ્યા વાહનની હડફેટે મોત
માણસા : ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામનો યુવક ગઈકાલે સવારે અમદાવાદ સનાથલ સર્કલ પાસેથી તેના શેઠનું બાઈક લઈ નીકળેલા યુવકને બપોરે માણસા પાસેના ધોળાકુવા ગામ નજીક અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા તે રોડ ઉપર પટકાયો હતો જેને તાત્કાલિક સારવાર માટે પ્રથમ ગાંધીનગર અને ત્યારબાદ અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું.
ગાંધીનગર પાસેના પેથાપુર ગામે મોટી શેરી દરબાર વાસ માં રહેતા અને હાલ જીઇબી માં સિક્યુરિટી માં ફરજ બજાવતા એવા નિવૃત્ત આર્મી જવાન સુભાષભાઈ જગનાભાઈ અસારીનો નાનો પુત્ર આશિષકુમાર અમદાવાદ સનાથલ સર્કલ પાસે આવેલી હોટલ પર નોકરી કરે છે જે ગઈકાલે રાબેતા મુજબ હોટલ પર ગયો હતો અને ત્યાંથી તે તેમાં શેઠ નું બાઈક નંબર ય્વ.૦૧.જીછ.૭૫૧૦ લઈને કોઈને કંઈ કહ્યા વિના નીકળી ગયો હતો જે બાબતની જાણ હોટલના અન્ય કર્મચારીએ તેના શેઠને કહી હતી જેથી શેઠે તેની સાથે ગયેલા અન્ય એક કર્મચારીને ફોન કર્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો ત્યારબાદ બપોરના અઢી વાગે આશિષ આ બાઈક લઇ માણસા પાસેના ધોળાકુવા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહનપુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બાઈક ને ટક્કર મારતા આશિષ નીચે રોડ પર પટકાતા તેને જ કપાળના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તેને ગાંધીનગર સારવાર માટે ખસેડયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ત્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું તો આ બાબતની જાણ તેના પરિવારજનોને થતા તેઓ પણ તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર બનાવ બાબતે માહિતી મેળવી અકસ્માત સર્જી મોત નીપજાવનાર અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મૃતક આશિષ ના પિતાએ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.