ગુજરાત
News of Wednesday, 6th July 2022

મુમુક્ષુ પ્રિયાંકભાઇ બન્‍યા પૂ.મુનિરાજશ્રી પરમાર્થી વિજયજી મ.સા.: મુમુક્ષુ ભવ્‍યતાબેનનું પૂ.સાધ્‍વીજીશ્રી ધર્માર્થીરત્‍ના શ્રીજી નામકરણ

સુરતના વેસુ ખાતે જૈન દીક્ષા મહોત્‍સવ નેમ-રાજુલના વારસદાર સંપન્‍ન

રાજકોટ,તા. ૬ : સુરતના વેસુ ખાતે યોજાયેલ દીક્ષા પ્રસંગે નાના એવા મીઠી વીરડી સાબરકાંઠાના મુમુક્ષુ દંપતી પ્રિયાંકભાઇ વોહેરા તથા ભવ્‍યતાબેનની દીક્ષા મહોત્‍સવ પ્રસંગે પ્રવજ્‍યા અંગીકાર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વોહેરા પરિવારમાંથી છેલ્લા ૪૦-૫૦ વર્ષમાં આ ૪૭ મી દીક્ષા થઇ છે. પૂ.ગુરૂભગવંતોએ મુમુક્ષુ પ્રિયાંકભાઇનું પૂ.મુનિરાજશ્રી પરમાર્થી વિજયજી મ.સા. તથા ભવ્‍યતાબેનનું સાધ્‍વીજીશ્રી ધર્માર્થી રત્‍નાશ્રીજી મ.સા. નામકરણ કર્યું હતું.

(4:45 pm IST)