સાસરિયાના શારીરિક-માનસિક ત્રાસથી કંટાળી વડોદરાની પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો:પતિ સહીત સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલE
વડોદરા: મકાન માટે પિયરમાંથી નાણા લાવવા દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપી, દીકરાની ઘેલછા ધરાવતા સાસરિયાંઓ અવારનવાર ઝઘડા કરતા હોવાના આક્ષેપ સાથે પરણીતાએ પતિ સહિત સાસરી પક્ષના ચાર સભ્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતી 28 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2013 દરમિયાન સમાજના રીતિ રિવાજ મુજબ કલ્પેશ શિવાજીરાવ શિંદે ( રહે - સયાજીપાર્ક સોસાયટી, આજવા રોડ, વડોદરા ) સાથે થયા હતા. સંતાનમાં ત્રણ વર્ષે દીકરીનો જન્મ થતાં સાસરિયાંઓ મેણા મારતા હતા. વર્ષ 2018 દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાન ખરીદવા માટે નણંદ પિયરમાંથી 90 હજાર લઈ આવવા જણાવતી હતી. વર્ષ 2021 દરમિયાન મારા પતિએ મને ચાકુ મારતા તે અંગેનો કેસ અદાલતમાં પેન્ડિંગ છે. દરમિયાન ચાર જુલાઈના રોજ દિવાળીપુરા કોર્ટમાં આવાસ યોજનાના મકાનમાં માલિક તરીકે પતિના નામ મુદ્દે તકરાર થતા મે માતાના ઘરે પહોંચી ફિનાઈલ ગટગટાવી જિંદગીનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરોક્ત ફરિયાદના આધારે બાપોદ પોલીસે સ્ત્રી અત્યાચાર, દહેજ પ્રથા સહિતની કલમો હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.