ગુજરાત
News of Saturday, 6th August 2022

રાજ્‍યના ૫૫ પીઆઇની બદલીઃ રાજકોટ શહેર-ગ્રામ્‍યના ૪ પીઆઇનો સમાવેશ

કે. એ. વાળાને મોરબી, એ. એસ. ચાવડાની ગીર સોમનાથ, જે. એમ. વાઘેલાને સી.ડી.ઓ. અને એસ. એમ. જાડેજાને સુરેન્‍દ્રનગર મુકાયા : અમરેલીના એલ. કે. જેઠવાને રાજકોટ મુકાયાઃ ગીર સોમનાથ, જુનાગઢ, જામનગર, અમરેલી, દેવભુમિ દ્વારકા અને પોરબંદરના પીઆઇનો પણ સમાવેશ

રાજકોટ તા. ૬: રાજ્‍યના પંચાવત બિન હથીયારી પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરની બદલીનો હુકમ નીકળતાં તેમાં રાજકોટ શહેરના ત્રણ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટરનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ગીર સાોેમનાથ, દેવભુમિ દ્વારકા, રાજકોટ ગ્રામ્‍ય અને પોરબંદરના પીઆઇની પણ બદલી થઇ છે.
ડીજીપીશ્રી આશિષ ભાટીયાએ બદલી પામેલા તમામ પીઆઇને તાત્‍કાલીક હાલના સ્‍થળેથી છુટા કરવા અને બદલીના સ્‍થળે હાજર થવા ફરમાન કર્યુ છે. રાજકોટના પીઆઇ કે. એ. વાળાને મોરબી, પીઆઇ એ. એસ. ચાવડાને ગીર સોમનાથ તથા પીઆઇ જે. એમ. વાઘેલાને સી.ડી.ઓ. ખાતે મુકવામાં આવ્‍યા છે. જ્‍યારે રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ એસ. એમ. જાડેજાને સુરેન્‍દ્રનગર ખાતે બદલવામાં આવ્‍યા છે.
આ ઉપરાંત ગીર સોમનાથના એસ. એલ. વસાવાને વલસાડ અને એમ. પી. હીંગળાદીયાને પીટીસી જુનાગઢ ખાતે તથા દેવભુમિ દ્વારકાના જી. આર. ગઢવીને અમદાવાદ શહેર ખાતે તથા પોરબંદરના બી. ડી. ગમારને અરવલ્લી ખાતે બદલવામાં આવ્‍યા છે.
તેમજ જુનાગઢના એન.આર. પટેલને મહેસાણા, જામનગરના એમ. એન. સાટીને જુનાગઢ, પોરબંદરના કે. આઇ. જાડેજાને અમદાવાદ ગ્રામ્‍યમાં મુકાયા છે. જ્‍યારે અમરેલીના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એલ. કે. જેઠવાની બદલી રાજકોટ શહેર ખાતે કરવામાં આવી છે.

 

(12:27 pm IST)