News of Tuesday, 6th December 2022
અમદાવાદ એડવર્ટાઈઝીંગ એસોસીએશન દ્વારા સ્નેહમિલન
(કેતન ખત્રી), અમદાવાદઃ અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસીએશન દ્વારા તાજેતરમાં દિવાળી ગેટ ટુ ગેધરનું આયોજન કરવામાં આવેલ. જેમાં પરિવારનાં ૧૦૦ જેટલાં સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીનર સાથે વિવિધ ગેમ્સનું પણ કાર્યક્રમમાં આયોજન કરેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત મીડીયા જગતની અગ્રણી એએસીએ સંસ્થા બીઝનેશ સંબંધિત કાર્યક્રમોની સાથે સાથે સમાજલક્ષી અને પરિવારલક્ષી કાર્યક્રમો પણ રજુ કરે છે. વિવિધ કાર્યક્રમો અંતગર્ત ડિસેમ્બર ૨૦૨૨માં ક્રિકેટ કાર્નીવલ- પાંચ મી સીઝનનું આયોજન કરેલ છે તથા દર વર્ષની માફક થેલેસેમીયા તથા બ્લડ કેન્સરના બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે.
(3:52 pm IST)