રાજ્યમાં કોરોના હાર્યો :નવા 9 કેસ નોંધાયા:વધુ 7 દર્દીઓ સાજા થયા:આજે એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી:મૃત્યુઆંક 11.043 થયો :કુલ 12.66.246 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 4233 લોકોનું રસીકરણ કરાયું
મોટાભાગના કેસ મહાનગરોમાં નોંધાયા:રાજયમાં હાલમાં 187 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો
અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 7 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,66,246 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,043 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.12 છે
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 4233 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,76.88.085 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે
રાજ્યમાં હાલ 187 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, જયારે 187 દર્દીઓ સ્ટેબલ છે. .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 9 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5 કેસ,સુરતમાં 2 કેસ, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે,