News of Friday, 7th May 2021
હવે કોરોના દર્દીને દાખલ કરવામાં RT-PCR રિપોર્ટ જરૂરી નહીં : હાઈકોર્ટના નિર્દેશ બાદ નિયમ બદલ્યો
RTPCR રિપોર્ટ વગર કોરોના લક્ષણ ધરાવતા દર્દીઓને સારવાર આપી શકાશે : દાખલ કરવા બાબતે બદલ્યો રાજ્ય સરકારે નિયમ
અમદાવાદ : રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે
કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકાર સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, દર્દીને RT-PCR રિપોર્ટ વગર પણ સારવાર અપાશે. કોરોના લક્ષણો ધરાવતા દર્દીને પણ દાખલ કરવા પડશે. RT-PCR રિપોર્ટ વિના પણ દર્દીઓને દાખલ થઈ શકશે.
(8:19 pm IST)