ગુજરાત
News of Friday, 7th May 2021

ગુજરાતી ફિલ્મ અભિનેતા દિનેશચંદ્ર મહેતાનું કોરોનાથી અમદાવાદમાં નિધન

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા દિનેશચંદ્ર ચંદ્રપ્રસાદ મહેતાનું કોરોનાથી અમદાવાદમાં નિધન થતા ઘેરોશોક છવાયો છે. તેઓએ અનેક ગુજરાતી ફિલ્મો તથા ટીવી સિરીયલોમાં પોતાનો અભિનય આપ્યો હતો. તેઓનું અવસાન તા. ૧ને શનિવારે થયેલ છે.

સ્વ. દિનેશચંદ્ર ચંદ્રપ્રસાદ મહેતા (નિવૃત સેલટેક્ષ ઈન્સપેકટર) તે હંસાબેન દિનેશચંદ્ર મહેતાના પતિ તથા પ્રેમલભાઈના પિતા તથા બીનાબેનના સસરા અને શિવાંશના દાદાનું અવસાન થયેલ છે. આજે તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન ટેલીફોનિક બેસણુ રાખેલ છે. પ્રેમલ મહેતા મો. ૯૮૨૪૦ ૧૬૯૪૦, બીના મહેતા ૯૪૨૯૨ ૦૪૧૧૦

(10:02 am IST)