ગુજરાત
News of Friday, 7th May 2021

સ્વ. પ્રતાપભાઇ શાહ લોકશાહી મુલ્યોના સાચા પ્રહરી-અખબારી જગતનું ગૌરવશાળી વ્યકિતત્વઃ શકિતસિંહ ગોહિલ

રાજકોટ તા. ૭ : ગુજરાત સરકારના મંત્રી રહી ચુકેલા અને ભાવનગરના શ્રેષ્ઠી પ્રતાપભાઇ શાહના અવસાનના સમાચારથી વ્યથિત થયેલા ગુજરાતના કોંગ્રેસના રાષ્ટ્રિય પ્રવકતા અને સંસદ સભ્ય શકિતસિંહ ગોહિલે પાઠવેલા એક શોક સંદેશામાં પ્રતાપભાઇને લોકશાહી મુલ્યોના સાચા પ્રહરી અને અખબારી જગતનું એક ગૌરવશાળી વ્યકિતત્વ ગણાવતા જણાવ્યું છે કે ભાવનગરની સમસ્યા હોય. લોકોની વ્યથા હોય કે લોકશાહીના જનતનની બાબત હોય તેના તેઓ આજીવન જાગૃત પ્રહરી બની રહ્યા હતા ગુજરાતની અનેક ઘટનાઓના તેઓ સાક્ષી રહ્યા હતા.

સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકને એક બીજમાંથી વટવૃક્ષ બનાવવાનું શ્રેય તેમના પુરષાર્થને આભારી છે. શકિતસિંહે વધુમાં જણાવ્યું હતું. કે પ્રતાપભાઇ ભાવનગરના હિતની કે ગુજરાતની સમસ્યાઓ વિનમ્રતાપૂર્વક મુકતા રહેલા ગુજરાતના એક મોટા ગજાના નેતાને હરાવી પ્રથમવાર વિધાનસભામાં ચુંટાયા હોવા છતા એ બાબતનું કયારેય તેમને અભિયાન નહોતું ૧૯૭પ માં ગઢડા-ઉમરાળાની બેઠક ઉપરથી ચુંટાયા હતા. તમામ લોકો સાથે સંપર્ક જીવંત રાખવાનો તેમના સ્વભાવની વિશિષ્ટતા હતી. કોઇપણ બાબતનો તલસ્પર્શી અભ્યાસ કર્યા બાદ તેને પ્રશ્નરૂપે નિરૂપણ કરવાની તેમની આવડતના કારણે તેમની કલમે લખાયેલી આવી બાબત જીવંત બની જતી તેમની અને તેમના પરિવાર સાથે અમારો પારિવારીક સંબંધ હતો તેમના મને હંમેશા આશિર્વાદ મળતા રહ્યા તેમના અવસાનથી વ્યકિતગત રીતે મે એક આત્મજન પારિવારીક સંબંધો જાળવતા વડીલ અનેમર્ગદર્શક ગુમાવ્યા છે. તેમના પરિવારે પ્રતાપભાઇના અવસાનથી કુટુંબના મોભી ગુમાવ્યા છે. ત્યારે વ્યકિતગત અને કોંગ્રેસ પક્ષ વતી શકિતસિંહ ગોહિલે શ્રદ્ધાંજલી પાઠવી છે.

(11:46 am IST)