ગુજરાત
News of Friday, 7th May 2021

અમદાવાદ:સૈજપુર બોધા વિસ્તારમાં દહેજ અંગે પરિણીતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિ સામે દહેજ તથા શારીરિક માનસીક ત્રાસની ફરિયાદ નોધાવી છે કે પગ ભાગ્યા બાદ સારા થઇ જતાં પતિએે પત્નીને કાઢી મૂકી છે.

કેસની વિગત એવી છે કે સૈજપુર બોધા ખાતે વપ્રભાકર ટેનામેન્ટ પાસે વિજય કામદાર સોસાયટીમાં રહેતા જ્યોતિબહેન રાજેશભાઇ પટેલે  દહેગામ તાલુકાના હરખજીના મુવાડા ખાતે રહેતા પતિ રાજેશભાઇ પરસોત્તમભાઇ પટેલ સહિત બે લોકો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે કે  દસ વર્ષ પહેલા શાસ્ત્રોક્ત વિધી મુજબ રાજેશ પટેલ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા સમય સુધી સારી રીતે રાખતા હતા ત્યારબાદ સૈજપુર આંબેડકર કોલોની ખાતે રહેવા આવ્યા હતા. ઘરકામ બાબતે તકરાર કરીને નણંદની ઉશ્કેરણીથી પતિ મારઝૂડ કરતો હતો, દિકરાના જન્મ બાદ મહિલા નોકરી જાય તો બહેમ રાખીને મારઝૂડ કરતો હતો. અવાર નવાર માતા પુત્રને એકલા મૂકીને ગામડે જતો રહેતો હતો અને દાગીના પણ સાથે લેતો જતો હતો. એક વર્ષ પહેલા અકસ્માત થતાં પતિનો પગ ભાંગી ગયો હતો ફરિયાદીએ સાર સંભાળ રાખી હતી સારા થઇ જતાં પતિ પત્નીને તરછોડીને જતો રહ્યો હતો. મહિનાથી મહિલા પિતાના ઘરે રહે છે પરેતું દિકરા તથા ફરિયાદીનું ભરણપોષણ પણ કરતા હતા. જેથી આખરે કંટાળીને પતિ સામે ફરિયાદ કરી છે.

(5:41 pm IST)