નરેશભાઈ પટેલ ફરી પહોંચશે દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે મહત્વની બેઠક!: રાજકારણમાં પ્રવેશનું કાઉન્ટ ડાઉન શરૂ
રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત આવી શકે:કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ
અમદાવાદ : ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના રાજકીય ભાવિનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે. આ વચ્ચે નરેશભાઈ પટેલ કાલે સવારે 9 વાગ્યે રાજકોટથી દિલ્હી જવા રવાના થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નરેશભાઈ પટેલ દિલ્હીમાં કોંગ્રેસ મોટા નેતાઓને મળશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે આજે ફાઇનલ બેઠક કરશે. નરેશભાઈ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળોનો અંત આવી શકે છે. થોડા દિવસોમાં નરેશભાઈ પટેલ પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નરેશભાઈ પટેલ કોંગ્રેસના દિગ્ગજ નેતા સાથે બેઠક યોજી શકે છે. તો કોંગ્રેસમાં ટૂંક જ સમયમાં નવાજૂની થવાના પણ એંધાણ દેખાઈ રહ્યા છે. નરેશ પટેલના કોંગ્રેસ આગમનની હવે ઘડીઓ ગણાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને પણ દિલ્હી પહોંચીને નરેશભાઈ પટેલે કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક કરી હતી
|