જૂનાગઢ ડીવાયએસપી ડો.કિરણ ઠાકુર, વડોદરાનાં બી.એસ.જાદવની બદલી
બે તબકકે મોટા ઓર્ડરની ચર્ચા વચ્ચે ફરી એક વખત બે ઓર્ડર બહાર પડયા : બન્ને અધિકારીઓ આદિજાતિ વિકાસ વિભાગમાં વિજીલન્સ સેલમાં મુકાયા
રાજકોટ, તા.૭: રાજ્ય પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ આઈપીએસ અધિકારીઓથી માંડી પીએસઆઈ સુધી બઢતી બદલી અને ડીવાએસપી લેવલે બે તબક્કે મોટા ફેરફારની ચર્ચાઓ વચ્ચે ફરી એક વખત ફકત ડીવાયએસપી લેવલના અધિકારીઓની બે બદલીઓ કરવામાં આવી છે.
જેમની બદલી કરવામાં આવી છે તેમાં રેલવે પોલિસના એસ.સી. એસ.ટી.સેલ વડોદરા ખાતે ફરજ બજાવતા બી.એસ.જાદવને આદિજાતિ વિકાસ કચેરી, ગાંધીનગરમાં વિજિલન્સ સેલમાં મૂકવામાં આવ્યા છે.
જૂનાગઢ જિલ્લામા પણ નાયબ અધિક્ષક તરીકે એસ. સી. એસ.ટી.સેલમાં ફરજ બજાવતા ડો.કિરણ કે.ઠાકુરને પણ આદિજાતિ વિકાસ વિભાગ કચેરી ગાંધીનગરમાં નાયબ પોલીસ અધિક્ષક પદે વિજિલન્સ સેલમાં ગળહ ખાતામા નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા ભરત વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.