વડોદરા:કોરોનાના કારણોસર બેરોજગારી ન મળતા શ્રમજીવી યુવકે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: શહેરમાં ઠેકરનાથ સ્મશાન પાસે પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા શ્રમજીવી યુવકને ગતરાત્રે પરિવાર સાથે ફોન પર બોલાચાલી થઇ જતા આવેશમાં આવીને યુવકે ગળાફાંસો ખાઇ લીધો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં રોજગારી નહીં મળતા યુવકે ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું છે.
દંતેશ્વર વુડાના મકાનમાં રહેતા ૩૯ વર્ષના અલ્પેશ લલ્લુભાઇ ઢોડિયા અને તેમનો પરિવાર રસોઇ કામ કરે છે. અલ્પેશને છેલ્લાં કેટલાંક સમયથી કોરોના મહામારીના કારણે રસોઇકામ મળતું ન હોવાથી તે સતત ટેન્શનમાં રહેતો હતો. ગઇકાલે તેનો ભાઇ બહારગામ ગયો હતો જ્યારે ઘરે અલ્પેશ તેની મમ્મી અને ભાભી આગળના રૃમમાં સૂઇ ગયા હતાં. અને તેના પીતા બહાર સૂઇ ગયા હતાં. સવારે અલ્પેશની મમ્મી જાગ્યા તો પુત્રને પંખા પર લટકતો જોઇને ચીસ પાડી ઉઠયા હતાં. મકરપુરા પોલીસને બનાવની જાણ કરવામાં આવતાં ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી છે.