અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશને 33 મુસાફરો કરોનો પોઝિટિવ મળ્યા
ત્રણ ટ્રેનમાં આવેલાં 1872 મુસાફરોના ટેસ્ટ કરાયાં : અમદાવાદ દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 26 કેસ નીકળ્યાં
અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મધ્ય ઝોનના હેલ્થ વિભાગ દ્રારા કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવતી ટ્રેનના મુસાફરોની ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન 1872 મુસાફરોનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું. તેમાંથી 33 મુસાફરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમાંય સૌથી વધુ 26 કેસ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં આવેલા મુસાફરોના નીકળ્યાં હતા.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરાના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા બહુઆયામી વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં સમય ઘણો વ્યતિત થતો હોવાની સાથો સાથ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરતાં હોવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ આજે અમદાવાદ રેલવે સ્ટેશન (kalupur Railway Station) પર ટેસ્ટીંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 519 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 પોઝિટિવ કેસો મળ્યા હતા.