ગુજરાત
News of Saturday, 8th January 2022

આણંદ નજીક વિદ્યાનગરમાં અપશબ્દો બોલવા બાબતે બે પક્ષો બાખડ્યા

આણંદ: નજીક આવેલા વિદ્યાનગરના ધોબીઘાટ પાસે ગત ૪થી તારીખના રોજ રાત્રીના સુમારે ગાળો બોલવાની બાબતે બે પક્ષો વચ્ચે મારામારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ચિરાગભાઈ દેસાઈભાઈ ભોઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત ૪થી તારીખના રોજ રાત્રીના સુમારે તેમની પત્ની કચરો નાંખવા જતી હતી ત્યારે વિશાલ માછી, હેરી રાજપુત અને સન્ની નિશાદ ગાળાગાળી કરતા હોય તેમને ઠપકો આપતાં વિશાલે ઉશ્કેરાઈ જઈને ચિરાગને માર માર્યો હતો જ્યારે હેરીએ ભુપેન્દ્રભાઈને લાકડીથી માર માર્યો હતો. સામા પક્ષે ભુપેન્દ્રભાઈ દેસાઈભાઈ ભોઈએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે,તેઓ ૪થી તારીખના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે તાપણું કરીને તાપતા હતા ત્યારે ભુપેન્દ્રભાઈ દેસાઈભાઈ ભોઈ, બીપીનભાઈ દેસાઈભાઈ ભોઈ, ચિરાગભાઈ દેસાઈભાઈ ભોઈ અને રૂપેશભાઈ ભોઈ આવી ચઢ્યા હતા અને ગાળો બોલવાની બાબતે લાકડીથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.

 

(4:58 pm IST)