News of Saturday, 8th January 2022
નર્મદા જિલ્લામાં શનિવારે ૨૪ કોરોના પોઝિટિવ કેસ આવતા તંત્રની ચિંતા વધી: રાજપીપળામાં ૧૧ પોઝીટીવ કેસ આવ્યા
(ભરત શાહ દ્વારા)રાજપીપળા :આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૨૪ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળા શહેરમાં ૧૧,નાંદોદ તાલુકામાં ૦૬, ગરુડેશ્વર તાલુકામાં ૦૧, દેડીયાપાડા તાલુકામાં ૦૪, સાગબારા તાલુકામાં ૦૨ કેસ સાથે જિલ્લામાં આજે કુલ ૨૪ પોજેટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં કોઈ દર્દી સારવાર હેઠળ નથી,કોવિડ કેર સેન્ટર માં એક પણ દર્દી દાખલ નથી, જ્યારે હોમ આઇસોલેશનમાં ૨૪ દર્દી દાખલ છે. આજે વધુ ૧૧૦૭ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
(10:30 pm IST)