News of Tuesday, 8th September 2020
માન્ય ડિગ્રી વગર ચાલતી પેથોલોજી લેબ સામે પગલા ભરવા લોકાયુકત સમક્ષ અરજી તપાસ
૧૧ સપ્ટે. સુધી તપાસ કરીને અહેવાલ રજૂ કરવા સુચના
રાજકોટ, તા. ૮ : માન્ય ડિગ્રી વાળા તબીબો પેથોલોજી લેબ ચલાવી શકે. આ પ્રકારના હવે લોકાયુકતમાં પહોંચ્યુ છે.
એમ.ડી. પેથોલોજી અથવા માન્ય ડિગ્રી ધારક જ પેથોલોજીકલ લેબોરેટરી ચલાવી શકે તેવા નિર્ણય સાથે ગેરકાયદે ચાલતી લેબોરેટરીઝ બંધ કરાવવા સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજય સરકાર અને પોલીસે પગલા ન લેતા હવે સમગ્ર પ્રકારના લોકાયુકત પાસે પહોંચ્યુ છે.
હાઈકોર્ટે અમાન્ય ડિગ્રી ધારકોની લેબોરેટીઝ બંધ કરાવવા ૨૦૧૦ અને સુપ્રિમ કોર્ટે ૨૦૧૬માં આદેશ આપ્યો છે. પરંતુ સરકારે કોઈ પગલા ન લેતા લોકાયુકતને અરજી કરવામાં આવી છે. જે અંગે લોકાયુકત કચેરીએ આરોગ્ય કમિશ્નરને તપાસ માટે સુચના આપી છે. આરોગ્ય વિભાગે તા.૧૧ સુધીમાં રાજયકક્ષાનો રીપોર્ટ લોકાયુકતને આપવાનો છે.
(2:50 pm IST)