સુરતના અમરોલીમાં ગૃહકંકાસમાં કારખાનેદારે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
સુરત: શહેરનાઅમરોલીમાં સોમવારે ગૃહકંકાસમાં કારખાનેદારે અને વરાછામાં માનસિક બિમારીના લીધે વૃધ્ધે ઝેરી દવા પીને આત્મ હત્યા કરી મોતને વ્હાલુ કર્યુ હતુ. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીમાં છાપરા ભાઠા ખાતે બોરડીફળિયામાં રહેતો ૩૫ વર્ષીય રામરહીશ રામગોપાલ શર્મા સોમવારે સવારે ઘર પાસે ઝેરી દવા પી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યાે હતો. ત્યાં ટુંકી સારવાર દરમિયાન તે મોતને ભેટયો હતો. પોલીસે કહ્યુ કે તે વરાછામાં ઘનશ્યામનગરમાં રોલપોલીશ્ડનું કારખાનું ચલાવતો હતો. જોકે પત્ની સાથે તેમની કોઇ કારણ રકઝક થતી હતી. તેથી તેણે આ પગલુ ભર્યુ હોવાની શકયતા છે. પણ તપાસ દરમિયાન હકીકત જાણવા મળશે. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.
બીજા બનાવમાં વરાછામાં બોમ્બે માર્કેટ પાસે રેણુકાભવન નજીક રહેતા ૬૧ વર્ષીય ઘનશ્યામભાઇ ભીમાભાઇ બાવડીયાએ સોમવારે સવારે ઘરે ઝેરી દવા પી જતા સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ગત સાંજે તેમનું મોત થયું હતુ. તેમના સંબંધીએ કહ્યુ કે ઘનશ્યામભાઇ મુળ ગીર-સોમનાથના ઉનામાં જરખલીગામના વતની હતા. તે માનસિક બિમાર હોવાથી આ પગલુ ભર્યુ હતુ. આ અંગે વરાછા પોલીસે તપાસ હાથ ઘરી છે.