સુરતના પાંડેસરા વિસ્તારમાં પ્રેમિકાની સગાઇ થઇ જતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
સુરત: પાંડેસરા વિસ્તારમાં સોમવારે સાંજે યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. જોકે યુવાને પ્રેમિકાની સગાઇ થઇ ગઈ છે એવું સાંભળીને તે હતાશ થઇ ગયો હોવાથી આ પગલું ભર્યું હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા ખાતે રહેતો 25 વર્ષીય રાકેશે સોમવારે સાંજે ઘરમાં ભોજન કર્યું હતું. બાદમાં તેમની માતા કામ અર્થેથી ઘરે પરત આવ્યા હતા. તે સમયે રાકેશ રૂમમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓ ચોકી ગયા હતા અને બુમાબુમ કરવા લાગતા આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા. આ અંગે 108 એમ્બ્યુલેન્સને જાણ કરતા ત્યાં પહોંચીને તેને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચીને યુવાનો મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. રાકેશના સબંધીએ જણાવ્યું હતું કે રાકેશ પાંડેસરા વિસ્તારમાં સલૂનની દુકાનમાં નોકરી કરતો હતો. 6-7 મહિના પહેલા ઘર પાસે રહેતી યુવતી સાથે આંખ મળી ગઈ હતી. બંને અવાર નવર મળતા પણ હતા.