ગુજરાત
News of Friday, 9th April 2021

મહેસાણામાં શનિ- રવિ તમામ દુકાનો- બજારો બંધ રહેશેઃ વેપારીઓનો નિર્ણય

સોમ થી શુક્ર સવારે ૮ થી ૬ સુધી દુકાનો ખુલ્લી રહેશે

રાજકોટઃ સમગ્ર રાજયમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વેપારીઓ જ હવે સ્વૈચ્છીક રીતે લોકડાઉન જાહેર કરી રહ્યા છે. મહેસાણામાં શનિ- રવિ તમામ દુકાનો અને બજારો બંધ રહેશે. જયારે સોમથી શુક્ર સવારે ૮થી સાંજના ૬ સુધી જ બજારો ખુલ્લી રહેશે.

મહેસાણામાં વેપારી એસોસીએશનની મળેલ મીટીંગમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે શનિ અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. તમામ દુકાનો અને બજારો સંપૂર્ણપણે બંધ રહેશે. જયારે સોમથી શુક્ર સવારે ૮ થી સાંજે ૬ સુધી બજારો ખુલ્લી રહેશે. તેમ તમામ વેપારી એસોસીએશન દ્વારા જણાવાયું હતું.

(4:06 pm IST)