ગુજરાત
News of Wednesday, 9th September 2020

રાજપીપળા નાગરિક સહકારી બેન્કના મેનેજીંગ ડિરેક્ટર તરીકે તેજસભાઈ ગાંધીની નિમણુક થતા વૈષ્ણવ વણિક સમાજે પાઠવી શુભેચ્છાઓ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા નાગરિક સહકારી બેન્કના મેનેજીંગ ડિરેક્ટર તરીકે તેજસભાઈ ગાંધી ની નિમણુક થતા રાજપીપળા ના વૈષ્ણવ વણિક સમાજે શુભેચ્છાઓ પાઠવી હતી.
          તેજસભાઈ ગાંધી એ તેમના વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હાલ કોરોનાની મહામારી દરમ્યાન તેમના નેતૃત્વ હેઠળ રાજપીપળા તથા આસપાસના વિસ્તારોમાં સામાજિક રાહતની કામગીરી તથા ખૂબ જ ઉમદા રીતે પાર પાડી હતી અને રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજનું નામ રોશન કર્યું .આજ રીતે તેઓ રાજપીપળા નાગરિક સહકારી બેન્કના મેનેજીંગ ડિરેક્ટર ( MD ) તરીકે પણ ખૂબ સરસ રીતે કાર્ય કરશો અને આપના નેતૃત્વ હેઠળ બેન્કનો ઉત્તરોત્તર વિકાસ થશે જ એમાં કોઈ શંકા નથી . આપ આપના અંગત તેમજ સામાજિક જીવનમાં પણ ખૂબ સરસ પ્રગતિ કરો અને સમગ્ર રાજપીપળા નગર તથા વૈષ્ણવ વણિક સમાજને નિરંતર ઉપયોગી થતા રહો એવી શુભેચ્છાઓ રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજે પાઠવી હતી.

(8:41 am IST)