News of Wednesday, 9th September 2020
અમદાવાદ:અસલાલી પોલીસે પાંજરાપોળમાંથી કતલખાને લઇ જવાતા ગૌવંશને બચાવી ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો
અમદાવાદ:અસલાલી પોલીસે આજે સવારે લોડિંગ રિક્ષામાંથી કતલ ખાને લઇ જવાતા ત્રણ ગૌ વંશને બચાવીને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. પોલીસ તપાસમાં અસલાલી પાસે આવેલા શ્રી હરિ પાંજરાપોળમાંથી પશુઓને લાવવામાં આવ્યા હોવાનું બહાર આવતા સંચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
અસલાલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર પી.આર. જાડેજાના જણાવ્યા મુજબ ગૌ રક્ષકોની માહિતી આધારે આજે સવારે પોલીસે જેતલપુરથી નાઝ તરફ જવાના માર્ગે ઉપર કાંસગીયા ગામ પાસે એક લોડિંગ રિક્ષાને અટકાવી હતી અને તપાસ કરતાં રિક્ષાને મીણીયાથી ઢાંકેલી હતી મીણીયુ હટાવીને અંદર જોતાં ત્રણ ગૌ વંશ આખલાને ચાર પગ અને ગળાના ભાગ દોરડાથી કસીને બાંધીને કંતાનના કોથળાથી છૂપાવેલા હતા.
(5:02 pm IST)