News of Monday, 10th May 2021
૨૯ મુસાફરો સાથેની એસટી બસ ભડભડ સળગી ઉઠી : તમામ મુસાફરો સહી સલામત
વડોદરાથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી બસમાં આજોડ ગામ પાસે અચાનક આગ ફાટી
વડોદરાથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે ડ્રાઇવરની સૂઝબૂઝને લીધે તમામ ૨૯ મુસાફરો સહી-સલામત બસમાંથી નીકળી જતા બચી ગયા હતા. આખી એસ.ટી.બસ સંપૂર્ણ સળગીને ખાખ થઇ ગઇ હતી. વડોદરા સેન્ટ્રલ એસટી ડેપોથી આ બસ અમદાવાદ જવા ઊપડી હતી અને આજોડ ગામ પાસે આગ લાગી હતી.
(6:27 pm IST)