News of Saturday, 10th July 2021
પંચમહાલના કાલોલમાં અસામાજીક તત્વોના ટોળાએ પોલીસ પર કર્યો પથ્થરમારો, PSI સહિતના જવાનો ઈજાગ્રસ્ત, પોલીસે ટીયરગેસના સેલ પણ છોડવા પડ્યા
કાલોલમાં બે જૂથો વચ્ચે અથડામણ : દુકાનો અને વાહનોમાં કરી તોડફોડ : ૧૦૦થી વધુ લોકોનું ટોળુ બેકાબુ બન્યુ : ટોળાએ તોડફોડ મચાવતા શહેરમાં અશાંતિનું વાતાવરણ ફેલાયુ : અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોએ દુકાનો - ધંધા બંધ કરી ઘર તરફ દોડી ગયા : બેકાબુ ટોળા પર પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા : પરંતુ આ ટોળું કોઈ રીતે કાબૂમાં આવ્યું નહોતું : પોલીસના જવાનો સહિત PI અને PSI પણ ઈજાગ્રસ્ત
(4:50 pm IST)