ગુજરાત
News of Thursday, 10th September 2020

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કરી આત્મહત્યા

કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવી જીવ દીધો : રાત્રે ચેમ્બરના પ્રમુખ સાથે વાતમાં રાજીનામુ આપવા ઈચ્છા વ્યક્ત કરી હતી

સુરત રત્નકલાકાર સંઘના પ્રમુખે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ અંતિમ પગલું ભરી લેતા પરિવાર સહિતના લોકો હતપ્રત થઈ ગયા છે. જયસુખ ગજેરાએ રાત્રે ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ સાથે વાત કરી હતી તેમેણે પ્રમુખ પદેથી રાજીનામું આપવાની વાત કરી હતી

કામરેજ-કઠોર પાસે તાપી નદીમાં ઝંપલાવ્યું હતુ. મોતની છલાંગ લાવીને મોતને વહાલું કર્યુ હતુ. રાત્રે ફોન બંધ આવતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. બાઇક અને ચપ્પલ કઠોર બ્રીજ પરથી મળ્યા હતા. નદીમાંથી મૃતદેહ બહાર કાઢી પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે આત્મહત્યા કે હત્યા તે બાબતે રહસ્ય ઘેરાઈ રહ્યું છે.

(10:51 am IST)