નાંદોદના કરાઠામાં એકસાથે ૪ સહિત નર્મદા જિલ્લામાં ૮ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા : કુલ આંક ૭૭૦ એ પહોંચ્યો
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે,ગ્રામ્ય વિસ્તાર માં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં ગુરુવારે નવા ૦૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૦૮ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ટેકરાફળિયા ૦૧ નાંદોદ ના કરાઠા ૦૪ ભચરવાળા ૦૧ જીતનગર ૦૧ તિલકવાળાના ગામોડ ૦૧ નર્મદા જિલ્લામાં કુલ ૦૮ દર્દી પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે જ્યારે આજે ૦૮ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૭૦૯ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૭૭૦ પર પહોચ્યો છે.આજે વધુ ૩૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.