ગુજરાત
News of Thursday, 10th September 2020

કાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવા એસટી નિગમનો નિર્ણંય : 12 વોલ્વો બસ રાજકોટ, સુરત અને ભૂજ રૂટમાં દોડશે,

રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂ થશે 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન

અમદાવાદ : આવતીકાલથી વધુ 40 એસી-વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય એસટી નિગમ દ્વારા લેવામાં આવ્યો છે. 12 વોલ્વો રાજકોટ, સુરત અને ભૂજ રૂટ પર દોડશે. 24 એસી બસનું પણ  સંચાલન શરૂ થશે. અમદાવાદ-ડીસા, ભાવનગર, દાહોદ, મોરબી રૂટ શરૂ થવા સાથે રાજકોટ-દીવ, અમદાવાદ-અંબાજી રૂટ પણ ચાલુ થશે. 4 એસી સ્લીપર બસનું ઉમરગામ,અંબાજી, સુરત અને મોરબી રુટ પર સંચાલન કાલથી શરુ કરાશે એમ રાજ્યમાં કુલ 80 એસી-વોલ્વો બસ દોડવાની શરૂઆત થશે.

(7:32 pm IST)