ગુજરાત
News of Monday, 11th January 2021

માંગરોળમાં ૭૦ કાગડાઓના ટપોટપ મોત થતાં ફફડાટ

ગુજરાતમાં બર્ડફ્લૂનો કહેર : માંગરોળમાં ઉડતા ઉડતા કાગડા નીચે પડી મોતને ભેટ્યામાંગરોળમાં ઉડતા ઉડતા કાગડા નીચે પડી મોતને ભેટ્યા

રાજકોટ, તા. ૧૦ : દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા સહિત દેશના ઘણા રાજ્યોમાં બર્ડફ્લૂની પુષ્ટિ થઈ છે. ત્યારે ગુજરાતમાં તેનો કહેર જોવા મળી રહ્યો છે.

જુનાગઢ જિલ્લાના માણાવદરમાં પક્ષીઓના મૃતદેહમાંથી બેને બર્ડફ્લૂ હોવાનું ખુલવા પામ્યું છે. જ્યારે માંગરોળમાં તાલુકાના લોએજ ગામ પાસે ૭૦-૮૦ કાગડાઓના ટપોપટ મોત થતાં સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. આમ ગુજરાતમાં પણ બર્ડફ્લૂનો પગપેસારો થયો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા બર્ડફ્લૂની ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે માંગરોળ તાલુકાના પંચાયતના સભ્ય રામભાઈ નંદાણીયાની સોમનાથ-દ્વારકા હાઈવે પર આવેલ હોટલ પાસે આ ઘટના બની છે. ગઈકાલ મોડી સાંજે આકાશમાંથી ટપોટપ પક્ષીઓ પડતા જોવા મળ્યા હતા. જે અંગે રામભાઈએ વન વિભાગને જાણ કરી હતી અને વનવિભાગ ઘટનાસ્થળે પહોંચીને ૧૦ પક્ષીઓના મૃતદેહ લઈને જતા રહ્યા હતા. જોકે, બાકીના મૃતદેહ ત્યાં જ રાખી મૂકતા કુતરા અને બિલાડીએ કાગડોઆના મૃતેદહની ચૂથ્યાં હતા. જેના પગલે હવે બર્ડફ્લૂનું સંક્રમણ એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાય તેવી પૂરેપૂરી આશંકા છે.

એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા એવિયન ફ્લૂને બર્ડ ફ્લૂ કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂ એ પક્ષીઓ દ્વારા ફેલાતો રોગ છે. ચેપગ્રસ્ત પક્ષીના સંપર્કમાં આવતા મનુષ્યને આ રોગ થાય છે, પક્ષી મરી ગયું હોય કે જીવતું હોય બંનેમાંથી રોગ ફેલાવાનું જોખમ છે. ઁ૫દ્ગ૧ વાયરસ બર્ડ ફ્લૂ માટે જવાબદાર છે. ચેપગ્રસ્ત પક્ષી ખાવાથી પણ આ રોગ થઈ શકે છે. જો તમે પાણીમાં તરતા હોવ અને તે પાણીમાં કોઈ ચેપગ્રસ્ત પક્ષી રહ્યો હોય, તો તેનાથી પણ બર્ડ ફ્લૂ થઈ શકે છે. બર્ડ ફ્લૂ એક ખાસ પ્રકારનો શ્વસન રોગ છે, આ રોગ એટલો ખતરનાક છે કે તે ચેપગ્રસ્ત વ્યક્તિને પણ મારી શકે છે. આ રોગમાં ઉધરસ, કફ, ન્યુમોનિયા, તાવ, સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. બર્ડ ફ્લૂથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે મરેલા અને ચેપગ્રસ્ત પક્ષીઓથી દૂર રહેવું અને જેમને આ રોગ થયો છે તેનાથી અંતર રાખવું અને તંદુરસ્ત આહાર લઈને આરામ કરવો.

(9:56 pm IST)